Archive for September, 2014


સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતા આંગ્લ મહિલા હોવા છતાં તેમને ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા હતી કે તેઓ કોઈ પણ સ્થળે ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન અવશેષ જોતાં તો તરત જ તેઓ એનો આદર કરી માનપૂર્વક તેને વંદન કરતાં.

એકવાર તેઓ સારનાથ ગયાં. સારનાથમાં જૂના પથ્થરો અને લાકડાના ટુકડાઓ પર બૌદ્ધ સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રકામ હતું. કેટલાક પથ્થરો પર ભગવાન બુદ્ધનાં ઉપદેશ-વાક્યો લખવામાં આવ્યાં હતાં.

જોતાં જ એ સન્નારીનું મન હર્ષથી નાચી ઊઠ્યું. તેમણે ત્યાંનાં રખેવાળને પૂછ્યું, ‘‘ભાઈ, હું આને સ્પર્શી શકું?’’

રખેવાળે કહ્યું, ‘‘હા, ચોક્કસ! પણ એમાં પૂછવાનું શું? અને મને એ પણ કહો કે સ્પર્શથી આપ્ને શું મળશે?’’

અને સન્નારીએ જે જવાબ આપ્યો તે સૌ દેશવાસીઓએ યાદ રાખવા જેવો છે. તેમણે કહ્યું, ‘‘ભાઈ! આ માત્ર પથ્થરો નથી! આ તો પાવન તીર્થો છે. આવા તમામ સ્મારકો આપણા સૌ માટે તીર્થ સમાન હોવા જોઈએ. એનાં સ્પર્શથી મનને શાંતિ મળે છે.’’

જે ભૂમિ પર શૂરવીરો જન્મ્યા છે, જે ભૂમિ માટે બલિદાનો આપ્યા છે, શૌર્ય દાખવીને ભૂમિનું રક્ષણ કર્યંુ છે એ તમામ ભૂમિ, સ્મારકો, સ્થાપત્યો, સ્થાનો અને ભૂમિનો કણકણ આપણા સૌ માટે શૌર્યતીર્થો છે. આપણે એ ભૂમિની મુલાકાત લઈને, એને સ્પર્શીએ, વંદન કરીએ અને એની માટી માથે ચડાવીએ, એ જ આ શૂરવીરો અને શૌર્યતીર્થોનું સાચું સન્માન છે.

રોજગાર સમાચાર પ્રશ્નોતરી – ૩

ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદ વખતે વિલાયત ગયા હતા ત્યારે ત્યાંના લોકો ઉપર એમનો પ્રભાવ ન પડે એટલા માટે છાપાંવાળાઓએ એમના વિરુદ્ધ પ્રચાર આદરેલો : ‘ગાંધી તો કદરૂપો છે, ઠીંગણો છે, કાળો છે, રિસાળ છે, અસભ્ય છે. પૂરતાં કપડાં પણ પહેરતો નથી.’ આવા કંઈકંઈ જાતના સમાચારો જનતામાં વહેતા મૂકેલા. પણ મહાત્માજીએ પોતાની આત્મપ્રતિભાથી ત્યાંના સૌને મંત્રમુગ્ધ કરી દીધા. સખત ઠંડી હોવા છતાંય, ચંપલ અને કચ્છ પહેરીને, વહેલી સવારે ગાંધીજી ફરવા નીકળી પડે. જ્યારે તે ફરવા નીકળે ત્યારે ગોરાં ભૂલકાંઓ આવીને સામાં ઊભાં રહે. ગાંધીજી સાથે હસ્તધૂનન કરે. વાતો કરે. બાળકો હરખાય. ઘેર જઈને મા-બાપ્ને ગાંધીજીની બધી વાતો કરે. એક દિવસ એક ગોરા બાળકે ગાંધીજીને રાજમાર્ગ પરથી જતા જોયા. એટલે એની માને બૂમ પાડીને કહ્યું : ‘બા…બા… જલદી બહાર આવ… ગાંધીકાકા આવ્યા.’ ઘરકામ પડતું મૂકીને અંગ્રેજ બાઈ બહાર આવી. ગાંધીજીને જોઈને એ ઠરી ગઈ : ‘મૂઆ, છાપાંવાળા કેવા ધુતારા છે! એ લખે છે કે ગાંધી કદરૂપો છે, ઠીંગણો છે, કાળો છે, રિસાળ છે. આવું તો અહીં કંઈ જ દેખાતું નથી. ગાંધી તો ઘઉંવર્ણો છે. પ્રેમાળ છે, સાધુપુરુષ જણાય છે.’ ગાંધીજીના આત્મસૌંદર્યથી વિલાયતનાં ઘણાંય સ્ત્રીપુરુષો ને બાળકો ઘેલાં બનેલાં. આત્મસૌંદર્ય પાસે દેહસૌંદર્ય ફિક્કું પડે છે.

રોજગાર સમાચાર પ્રશ્નોતરી – ૨

રોજગાર સમાચાર પ્રશ્નોતરી – ૧

ગુજરાત રોજગાર સમાચાર(૨/૯/૨૦૧૪)

એસ. એસ. સી. ગણિત પ્રશ્નબેંક ૨૦૧૪-૧૫.

SSC JULY 2014 MATHS EXAM PAPER

SSC JULY 2013 MATHS EXAM PAPER